Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વિશ્વ પર્યાવરણ દિન : રાજકોટ વન વિભાગ દ્વારા તમામ તાલુકા થઇને ૧૧૫૫ વૃક્ષોનું વાવેતર

રાજકોટ તા. ૫ : આજે 'વિશ્વ પર્યાવરણ દિન'ની ઉજવણી થઇ રહી છે.

આ વર્ષે કોરોના મહામારીને લીધે સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા અન્ય સ્પર્ધાઓ, રેલી વિગેરેનું આયોજન કરાયેલ નથી. તા. ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માત્ર વૃક્ષારોપણ કરી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં તાલુકા પ્રમાણે સ્થળ પર માત્ર એક સ્ટાફ અને એક મજુર સોશિયલ ડીસ્ટન્સ સાથે વૃક્ષારોપણ કરશે. રાજકોટ સામાજિક વનીકરણ  વિભાગના આયોજન પ્રમાણે રાજકોટ, લોધીકા, પડધરી, જસદણ, વીંછીયા, કોટડા સાંગાણી, ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણા ખાતે કુલ ૧૧૫૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.

(10:45 am IST)