Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

કોઠારીયા રોડના જયનગરમાં જયદેવસિંહ ઝાલાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ હાઉસીંગ બોર્ડ સામે જયનગરમાં રહેતાં દરબાર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જયનગરમાં રહેતાં જયદેવસિંહ સજુભા ઝાલા (ઉ.૨૩)એ ગઇકાલે ઘરના પતરાની લોખંડની આડીમાં સાડી બાંધી ફાંસો ખાઇ લેતાં મોટા ભાઇ ભગીરથસિંહ જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. રાજેશભાઇ મેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર જયદેવસિંહના પિતા હયાત નથી. માતાનું નામ વિનુબા છે. તે છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મોતથી વૃધ્ધ માતા, ભાઇ સહિતના પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(12:16 pm IST)