Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પ્રદેશ કારોબારીમાં નિમણુંક થતાં ચેતનભાઈ રામાણી કહે છે

મને સોંપેલી જવાબદારી સુપેરે નિભાવીશ

રાજકોટઃ ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા પ્રદેશ કારોબારીના સભ્‍યોની નિમણુંક કરી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના આગેવાન તેમજ સૌરાષ્‍ટ્રના ખેડૂત નેતા ચેતનભાઈ રામાણીની નિમણુંક થતા તેઓએ જણાવ્‍યું હતું કે, ૪ થી વધુ દાયકાઓ સુધી અપેક્ષા વગર તનતોડ મહેનત કરી પક્ષ માટે કામ કરતો આવ્‍યો છું. છતા આજ સુધીની રાજકીય કારીર્દીમાં એકપણ વાર પક્ષ પ્રત્‍યેની વફાદારી છોડી પક્ષપલટો કે કોઈપણ અન્‍ય કાર્મો કર્યા નથી તેમજ આગેવાનથી વધુ કાર્યકર્તાની જેમ કામ કરી પાર્ટીના સિધ્‍ધાંતોને વળગી રહ્યો છુ. હવે પક્ષે મારી નવી જવાબદારી તરીકે પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય તરીકે પસંદગી કરે છે તો તે પણ પરીપૂર્ણ કરવા પ્રયત્‍ન કરીશ.

નોંધનીય છે કે ચેતનભાઈ જીલ્લા કિશાન સંઘના સંયોજક તરીકે ૧ં૯૮૬ થી ૧૯૯૧ સુધી રહ્યા હતા, રાજકોટ જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ૧૯૯૫- ૧૯૯૮માં જવાબદારી નિભાવેલ, ગુંજાગીરી નાબુદી સમીતી- લોધીકાના પ્રમુખ રહ્યા, ૧૯૯૮માં જેતપુર વિધાનસભાના ચુંટણી ઈન્‍ચાર્જ તરીકે જવાબદારી નિભાવેલ, જેતપુર શહેર- તાલુકાની સંગઠનના પ્રભારી તરીકે ૧૦ વર્ષ સુધી જવાબદારી નિભાવી, ૨૦૧૧ થી ૨૦૧૫ રાજય સરકારની કૃષી અને ગ્રામીણ વિકાસ બેંકના ડાયરેકટરની જવાબદારી સોંપી ત્‍યાર બાદ રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી વિગેરે જવાબદારી નિભાવી, ૨૦૧૭થી આજદીન સુધી રાજકોટ- લોધીકા ખરીદ વહેંચાણ સંઘના પ્રતીનીધી તરીકે જવાબદારી નિભાવે છે, ૨૦૧૭ની ચુંટણીમાં રાજકોટની ગ્રામ્‍ય વિધાનસભાની બેઠકના સહ- ઈન્‍ચાર્જન તરીકેની જવાબદારી નિભાવેલ, ૨૦૨૧માં તાલુકા- જીલ્લા પંચાયતની ચુંટણીમાં જીલ્લા ભાજપના ચુંટણી ઈન્‍ચાર્જની જવાબદારી નિભાવી.સામાજીક ક્ષેત્રે પણ સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ બોર્ડીંગમાં પ્રમુખ રહ્યા, સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્‍ટી હાલ જવાબદારી નિભાવી રહ્યા છે, સ્‍વામિનારાયણ સંપ્રદાયના  ૫૫ થી વધુ તાબાઓનું સરકાર સાથે સંકલન કરી સુગમતાઓ પાથરી રહ્યા છે. ચેતનભાઈ રામાણીને મો.૯૮૨૫૧ ૧૮૨૩૮ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:26 pm IST)