Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

કાલથી ત્રણ દિ'રાજકોટમાં ફોટોગ્રાફી પ્રદર્શન

કલાકારો આઈ.ડી.વ્યાસ, નિખીલ પિલોજપરા, કૌશીક જડીયા, જયેશ શાહ, એશ્કોલ મોઝેસ અને ભાવેશ ત્રિવેદીના ચિત્રોનું પ્રદર્શનઃ કલાપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ,તા.૫: પંચામૃત ફોટોગ્રાફી ગ્રુપ દ્વારા આયોજીત ચોથું ફોટોગ્રાફી પ્રદર્શન તા.૬ થી ૮ (શનિ થી સોમ) સુધી શ્યામાપ્રસાદ મુખરર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાયેલ છે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન આવતીકાલે શનિવારે સવારે ૧૧કલાકે મુખ્ય મહેમાન શ્રી માંધાતાસિંહજી જાડેજા ઠાકોર સાહેબ ઓફ રાજકોટ, અ.સૌ.કાદમ્બરીદેવી જાડેજા રાણી સાહેબ ઓફ રાજકોટ, શ્રી વ્રજભાઈ મિસ્ત્રી પ્રસિધ્ધ ફોટોગ્રાફર અમદાવાદ તથા શ્રી હર્ષદભાઈ વાડોદરીયા ફોકસ મેગેઝીન અમદાવાદના વરદ હસ્તે યોજેલ છે.

આ પ્રદર્શનનાં છ કલાકાર મિત્રો દ્વારા કુલ ૧૨૦ થી વધુ ફોટા પ્રદર્શીત થશે. સમગ્ર આયોજન કલાકારો સર્વશ્રી આઈ.ડી.વ્યાસ- મો.૯૮૨૪૦ ૭૯૩૭૯, નિખીલ એમ.પિલોજપરા (ગજજર)- મો.૯૮૭૯૮ ૩૬૮૬૬, કૌશિક એન.જડિયા- મો.૯૪૨૭૨ ૧૭૫૭૧, જયેશ એન.શાહ (સોની)- મો.૯૪૨૮૦ ૩૯૮૮૩, એશ્કોલ મોઝેલ- મો.૯૮૨૫૩ ૬૦૨૩૩, ભાવેશ એ.ત્રિવેદી- મો.૯૪૨૬૮ ૧૬૧૦૦ કરી રહ્યા છે.

આ પ્રદર્શન તા.૬ થી તા.૮ના સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૯ સુધીનો રહેશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:47 pm IST)