Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

રવિવારે હોદેદારોની નિમણુંક સાથે પૂર્વ સૈનિકોનું કરાશે સન્માન

રાજકોટ તા. ૫ : સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા 'રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં વધુ પ્રસરાવવા અમે આ સંગઠનની સ્થાપના કરેલ છે. જેના માધ્યમથી માત્ર પાટીદારો જ નહીં દરેક સમાજોને સાથે રાખી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

તા. ૭ ના રવિવારે પ્રથમ ચરણમાં પૂર્વ સૈનિકોનો સન્માન સમારોહ ગોઠવેલ છે. વિરાણી બહેરા મૂંગા શાળા, ઢેબર રોડ ખાતે સવારે ૧૧ વાગ્યે દિવ્યાંગ બાળકોની વચ્ચે આયોજીત આ સમારોહ દરમિયાન સંસ્થાના હોદેદારો હોદા ગ્રહણ કરશે.

આગામી દિવસોમાં રકતદાન કેમ્પ, મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમમાં સેવાકાર્યો હાથ ધરાશે.

સંસ્થાના પ્રમુખ તરીકે પ્રદિપ લીંબાસીયા, ઉપપ્રમુખ તરીકે હિમાંશુ તોગડીયા, મંત્રી તરીકે ભાર્ગવ ઘેલાણી, સહમંત્રી તરીકે સંદીપ રામાણી, ખજાનચી તરીકે દુર્ગેશ લુણાગરીયા, કારોબારી સભ્યો તરીકે શૈલેષ લીંબાસીયા અને ધર્મેશ  ચોવટીયાની વરણી કરવામાં આવી છે.સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહયોગી બનવા મો.૯૦૯૯૯ ૦૯૮૯૪ અથવા મો.૯૯૨૪૦ ૪૬૪૬૬ ઉપર સંપર્ક કરવા હાર્દીક સ્થાપક અધ્યક્ષ હાર્દીક બોરડે જણાવેલ છે.તસ્વીરમાં સંસ્થાનો હેતુ અને કાર્યો વર્ણવતા સંગઠનના યુવા આગેવાનો નજરે પડે છે.

(3:41 pm IST)