Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

પૂર્વ કોર્પોરેટર અનીલભાઇ મકવાણા પર હુમલો અને લૂંટના ગુનામાં વધુ બે પકડાયા

સંજય સિંધવ અને સતીષ સાગઠીયા આગોતરા સાથે રજૂઆત થતા જામીન મુકત

રાજકોટ, તા.પ : ગીર સોમનાથની ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર પર હુમલો કરી લૂંટ ચલાવનાર વધુ બે શખ્સોની પ્રનગર પોલિસે ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ ગીર સોમનાથમાં બનેલા બનાવ વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભરતભાઇ ગોહેલનું મોત નિપજયુ હતું. તેના મૃતદેહની અંતિમ વિધી માટે તેના પરિવારના સભ્યો તેના વતન લઇ જવા માટે તૈયારી કરતા હતા. તે વખતે ત્યાં એરપોર્ટ ફાટક પાસે નરસિંહનગર -૧ માં રહેતા પૂર્વ કોર્પોરેટર અને આગેવાન અનીલભાઇ ગાંગજીભાઇ મકવાણા (ઉ.વ.પ૦) હાજર હતા. ત્યારે અશોક ગોવિંદભાઇ સિંધવ, સંજય ગોવિંદભાઇ સિંધવ અને સતીષ મુળજીભાઇ સાગઠીયા સહિત તેર શખ્સોએ આવી 'સમાજ માટે તમે શુ કર્યું છે' તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી રૂ.૨૦ હજાર લૂંટી લીધા હતા. આ બનાવમાં અનીલભાઇ મકવાણાએ પ્ર.નગર પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે આ પ્રકરણમાં અગાઉ અશોક સિંધવની ધરપકડ કરી હતી. ત્યાં ગઇ કાલે સંજય ગોવિંદભાઇ સિંધવ (ઉ.વ.૩૩) રહે. મહાત્મા ગાંધી સોસાયટી  શેરી નં.૧ અને સતીષ મુળજીભાઇ સાગઠીયા (ઉ.વ.૩૧) રહે. કોઠારિયા ગામ વીર મેથમાયાનગર, આગોતરા સાથે રજુ થતા પોલિસે બંન્નેની ધરપકડ કરી જામીન મુકત કરી કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)