Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

આધારકાર્ડમાં અંધાધુધી સર્જાતા મહીલાઓ મેયર ચેમ્બરમાં દોડી...

રાજકોટ : આધારકાર્ડમાં સુધારો તથા નવા કાર્ડ કઢાવવા માટે મ્યુ. કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન ખાતેના કેન્દ્રમાં આજે ટોકન આપવામાં અંધાધુંધી સર્જાતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો અને મહિલાઓના ટોળાએ મેયર ડો. જૈમન ઉપાધ્યાયની ચેમ્બરમાં ધસી જઇ યોગ્ય વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત કર્યા બાદ મેયરશ્રીના પી.એ. શ્રી હીંડોચાએ તાત્કાલીક સુચનાઓ આપી ટોકન મુજબની વ્યવસ્થા કરાવતા મામલો થાળે પડયો હતો. તસ્વીરમાં આધારકાર્ડ માટે ઉમટેલા અરજદારો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૮.૧૬)

(3:58 pm IST)