Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા રવિવારે મહારકતદાન શિબિર

રાજકોટઃ શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૪૬ વર્ષથી સામાજીક શૈક્ષણિક, સાંસ્કૃતિક, સેવાકીય પ્રવૃતિ અંતગર્ત આગામી તા.૮ને રવિવારે સાંજે ૪ થી ૯ સુધી મહા રકતદાન શીબીર શ્રીરામ ઝરૂખા રામજી મંદિર કોઠારીયા નાકા ખીજડા શેરી કોર્નર સત્સંગ હોલ ખાતે ફ્રેન્ક યંગ સ્ટાર ગ્રુપ સોની બજાર તેમજ દિવાનપરા યુવક મંડળના સહયોગથી મંડળના પ્રમુખ સ્વ.નિતીનભાઈ પારેખ તેમજ આર.એસ.એસ.ના ધર્મ જારણ સમિતિના પ્રચારક સ્વ.શ્રી બકુલભાઈ વોરાના સ્મરણાર્થે આયોજન કરવામાં આવેલ છે. તસ્વીરમાં સંસ્થાના સભ્યો સર્વેશ્રી નિલેષભાઈ વોરા, ગીરીશભાઈ પરસાણા, ભાવેશ જીવરાજાની, શૈલેષ પારેખ, નિરવ પારેખ અને આનંદ પરસાણા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૧)

(3:55 pm IST)