Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

વધુ ૭ નાયબ મામલતદારોની બદલી કરતા એડી. કલેકટર

રાજકોટ, તા., ૫: રાજકોટના એડીશ્નલ કલેકટર શ્રી હર્ષદ વોરાએ ગઇકાલે સાંજે વધુ ૭ નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો કર્યા છે.

આ બદલીઓમાં પી.એમ.ભેસાણીયા જસદણ શીરેસીદેર, વી.પી.રાજયગુરૂ, ગોંડલ શીરેસીદાર, એસ.એ.ખીમાણી-ધોરાજી શીરેસીદાર તરીકે મુકાયા છે.

જયારે કે.એમ.ઝાલા પશ્ચિમ મામલતદાર કચેરી, એ.એમ.ટીલાળા યુએલસી શાખામાં, આર.આઇ. ઉપાધ્યાય પુરવઠા ઇન્સ્પેકટર તથા કે.સી.ટાંકને અછત શાખા કલેકટર કચેરીમાં મુકવામાં આવ્યાનું જાહેર થયું છે.

(11:57 am IST)