Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વેરા શાખા આક્રમકઃ પ૪ મિલ્કતોને જપ્તીની નોટીસઃ પ૪ લાખની વસુલાત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા આજે શહેરના વિવિધ વિસ્તારમાં પ૪ મિલ્કતોનો બાકી વેરો વસુલવા જપ્તીની નોટીસ પાઠવવામાં આવી છે. આજે રૂ. ૪ લાખની આવક થવા પામી હતી. જયારે વોર્ડ નં. ૧૧ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓમનગરમાં આવેલ પટેલ જવેલર્સ શોપ નં. ૧૦ ના યુનિટના બાકી માગણા સામે હરરાજીની કાર્યવાહી કરતા હરરાજીમાં કોઇ આસામીઓએ ભાગ લીધેલ નથી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટરો તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા, સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

(4:10 pm IST)