Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

માં સરસ્વતીની કૃપા સદૈવ તમામ વિદ્યાર્થીઓ પર વરસતી રહેઃભંડેરી-ભારદ્વાજ

ધો.૧૦ અને ધો.૧રના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી નામ રોશન કરે

રાજકોટ, તા., ૪: ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજએ આવતીકાલે તા.પ થી શરૂ  થતી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે ધો.૧૦ અને ધો.૧રના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળતામાં સફળતા પ્રાપ્ત કરી સમાજમાં પોતાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ઼ છે કે તમામ વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જે મહેનત કરી છે તે મહેનત તમને સફળતાના શીખર પર લઇ જવાની છે ત્યારે પરીક્ષામાં આત્મવિશ્વાસ સૌથી વધારે જરૂરી હોય છે ત્યારે માં સરસ્વતીની કૃપા સદૈવ તમામ વિદ્યાર્થીઓ પર વરસતી રહે અને બોર્ડની પરીક્ષામાં જવલંત દેખાવ કરી ભવિષ્યમાં સમાજ ઘડતરમાં પોતાના જ્ઞાન થકી મહતમ ફાળો આપે એવી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજે ધો.૧૦ અને ધો.૧રના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:43 pm IST)