Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કથ્થક નૃત્ય નિહાળી કલાપ્રેમીઓ અચંબીત

 રાજકોટઃ શાસ્ત્રીય નૃત્યશૈલી કથ્થકના ચાહકો માટે રાજકોટમાં સરગમ કલબ અને પરમ કથક કેન્દ્ર દ્વારા અદ્ભુત કાર્યક્રમ 'અર્પણ'નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કથ્થક નૃત્ય કલા નિહાળી ઉપસ્થિતિ સૌ અચંબિત બની ગયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ભરતભાઇ યાજ્ઞિક અને સરગમ કલબના પ્રમુખ ગુણવતભાઇ ડેલાવાળા ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમમાં કથ્થક નૃત્ય શૈલીનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ.  આ કાર્યક્રમની સફળતા માટે પરમ કથ્થક કેન્દ્રના પલ્લવી વ્યાસ ઉપરાંત સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)