Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભાટીયા બોર્ડીગમાં મા અમૃતમ કાર્ડનો કેમ્‍પ

મહાનગર પાલીકા અને કાઠીયાવાડ ભાટીયા વિદ્યાર્થી ભવન દ્વારા જરૂરીયાતવાળા લોકો માટે મુખ્‍યમંત્રી યોજનામાં વાત્‍સલ્‍ય અમૃત કાર્ડનો કેમ્‍પ ભાટીયા બોર્ડીગ ખાતે કરવામાં આવેલ. તેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, ડો.દર્શીતાબેન શાહ, આરોગ્‍ય ચેરમેન મનીષભાઇ રાડીયા, રાજુભાઇ અઘેરા, અરવિંદભાઇ રૈયાણી, પુષ્‍કરભાઇ પટેલદેવાંગભાઇ માંકડ, વોર્ડ પ્રમુખ હેમુભાઇ, ભરતભાઇ કોટક, ભાજપ કાર્યકર બીલાલભાઇ અને ભાટીયા બોર્ડીગના ટ્રસ્‍ટીઓની હાજરીમાં કાર્ડનું વિતરણ કરેલ. અંદાજે ૧૧૦ થી ૧ર૦ કુટુંબના લોકોએ લાભ લીધેલ હતો.

 

(5:28 pm IST)