Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સોરઠીયા પ્લોટમાંથી ધો.૧૦નો છાત્ર રાહુલ ચાવડા ગુમઃ અપહરણનો ગુન્હો

'હમણા આવુ છું' કહી ૧૬ વર્ષનો કિશોર ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા

રાજકોટ, તા., ૫: સોરઠીયા પ્લોટમાં રહેતો  ધો.૧૦માં કરતો દલીત છાત્ર ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા એ ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુન્હો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટ, શેરી નં. ૮-બમાં રહેતા જયંતીભાઇ નાથાભાઇ ચાવડા (ઉ.વ.પ૦)નો પુત્ર રાહુલ (ઉ.વ.૧૬) કરણસિંહજી હાઇસ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. તે ગઇકાલે 'હમણા આવુ છું' તેમ કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પિતા જયંતીભાઇએ આ અંગે એ ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અપહરણનો ગુન્હો નોંધી પીઆઇ વી.એન.યાદવ, રાઇટર વિજયસિંહ જાડેજા, વિજેન્દ્રસિંહ સહીતના સ્ટાફે તપાસ આદરી છે. રાહુલે ક્રીમ કલરનું પેન્ટ કાળા કલરનો શર્ટ પહેરેલ છે. તેને કપાળે જુનુ વાગેલાનું નિશાન છે. જો કોઇને આ કિશોર જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફો.નં. ૦ર૮૧ રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવો.

(4:26 pm IST)