Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કાલે જ્યોતિષ મહા સંમેલન- માર્ગદર્શન

વાર્ષિક વરતારો, વેપાર-વરસાદ અને જનજીવન ઉપર ગ્રહોની અસર વિષે વકતવ્યઃ ૪૦૦થી વધુ જ્યોતિષીઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ,તા.૫: આવતીકાલે તા.૬ના શનિવારે અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા ૬૯મું જ્યોતિષ મહાસંમેલન અને નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિરનુ આયોજન રાણીંગાવાડી, મહેતા પેટ્રોલ પંપ પાછળ, ગોંડલ રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

ઉતરાયણ સંક્રાન્તિ મહાપર્વ અંતગર્ત વાર્ષિક વરતારો વેપાર-વરસાદ અને જનજીવન ઉપર ગ્રહોની અસર, તેમજ ગુજરાતના રાજકારણમા ગ્રહોની અસર વિશે જ્યોતિષના વિવિધ વકતાઓ માર્ગદર્શન આપશે.

સંસ્થાના પ્રમુખ ડો.મહેન્દ્ર પંડ્યા (ઋષિરાજ)નાં અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમા રાજકોટ અને ગુજરાતના ચારસો થી વધો જ્યોતિષી અને જ્યોતિષ રસીકો ઉપસ્થિત રહેશે.

પૂ.શ્રી બ્રહ્મતિર્થસ્વામી (બીએપીએસ સ્વામિ મંદિર) પૂ.શ્રી વ્રજવલ્લભદાસજી (સ્વામિ સત્સંગ કેન્દ્ર), પૂ.શ્રી હરિવલ્લભ સ્વામી (સ્વામિ. મંદિર), પૂ.શ્રી રત્નેશબાવાજી (વૈશ્ણવ હવેલી) તથા પૂ.શ્રી શંભુપ્રસાદ ટુંડીયા (પૂ.મહંત શ્રી સવગુણ સમાધી સ્થાન ઝાઝરડા તથા સંસદસભ્ય રાજયસભા) વગેરે સૌને નવા સવ્રાન્તિવર્ષના આશિર્વચન પાઠવશે. ઉપરાંત શ્રી જૈમીનભાઈ ઉપાધ્યાય (મેયર શ્રી) નિતિનભાઈ ભારદ્વાજ, ચિમનભાઈ લોઢીયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ) કિરીટભાઈ ગંગદેવ, જીતુભાઈ ઠકરાર, કમલેશભાઈ મીરાણી (પ્રમુખ ભાજપ શહેર, રાજકોટ) તથા શિરિષભાઈ આહીયા વગેરે ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીક સોસાયટીના વિદ્યાન જ્યોતિષી ટીમ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાથી આવેલ જનસમૂહનુ વૈદિક જ્યોતિષ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામા આવશે તેમ અગાસ યુવા મોરચાના રાજકોટ જીલ્લાના પ્રમુખ સુરેશ કનૈયાએ જણાવ્યુ હતુ.

(3:30 pm IST)