Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મિતુલ દોંગાને હરાવવા વોર્ડ નં.૧૬માં ઘરના જ ઘાતકી બનશેઃ ચારેકોર ચર્ચા

પદયાત્રામાં વિરોધીઓ સતત સાથે હોવાનો સોશ્યલ મીડીયામાં ઘટસ્ફોટ

રાજકોટ તા.૪ : ચૂંટણીના આડે હવે ૪ દિવસ જ બાકી છે અને પ્રચાર માટે હવે ચોખ્ખા બે દિવસ બાકી છે ત્યારે શહેરનું રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન વિધાનસભા-૭૦ના ઉમેદવાર મિતુલ દોંગાને હરાવવા માટે વોર્ડ નં.૧૬ના કેટલાક કોંગ્રેસના જ કાર્યકરો મેદાનમાં ઉતર્યા હોવાની વાતો સોશ્યલ મીડીયામાં વહેતી મુકવામાં આવતા આ મુદો ચર્ચાસ્પદ બન્યો છે.

સોશ્યલ મીડીયામાં ફરતી આ પોસ્ટમાં એવુ જણાવાયુ છે કે વોર્ડ નં.૧૬ના જંગલેશ્વર વિસ્તારમાં મિતુલ દોંગાની પદયાત્રા દરમિયાન સતત તેઓની સાથે રહેલા ૪ થી પ જેટલા આગેવાનો તેમને હરાવવા મેદાને પડયા છે. આ પોસ્ટે કોંગી વર્તુળોમાં જબરી ચર્ચા જગાવી છે.

(5:04 pm IST)