Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

આવતીકાલે વકીલો સાથે વિજયભાઇ રૂપાણીનું સંમેલન

રાજકોટ તા. ૪ :.. રાજકોટ શહેર ભાજપા લીગલ સેલના પ્રદેશ સહકન્‍વીનર દિલીપ પટેલ કન્‍વીનર હીતેશ દવે, બળવંતસિંહ રાઠોડ તથા રાજકોટ બારના પ્રમુખ સંજય વ્‍યાસ દ્વારા જણાવામાં આવેલ છે કે આવતીકાલે સાંજના સાત વાગ્‍યે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થીતી  માં વકીલ સંમેલન યોજાયેલ હોય તમામ વકીલ ભાઇ-બહેનોએ પરીવાર સાથે ઉપસ્‍થિત રહેવા જણાવેલ છે.

ભાજપના ર૦૦૦ થી વધુ વકીલ પરીવાર આ વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રીશ્રીના વકીલ સંમેલનમાં હાજર રહેવાના છે. સમગ્ર વકીલોમાં આનંદની લાગણી ફેલાઇ ગયેલ છે. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ફોનથી રૂબરૂ કોન્‍ટેક કરી વધુને વધુ વકીલ મીત્રો હાજર રહે તેવા પ્રયાસો થઇ રહેલ છે.

રાજકોટના વિવિધ બાર એસોસીએશન ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, જે. એફ. રાણા, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, અજય જોષી, રેવન્‍યુ બારના પ્રમુખ ભરત આહ્યા, પ્રકાશસિંહ ગોહેલ, ન્‍યુ ક્રિમીનલ બારના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહીલ, જુનીયર એડવોકેટ એસો.ના પ્રમુખ શીવરાજસિંહ ઝાલા, લેબર બારના ગીરીશભાઇ ભટ્ટ, ગ્રાહક સુરક્ષાના જી. આર. ઠાકર, ટ્રેડ માર્ક એસો.ના પ્રમુખ રમેશભાઇ ઘોડાસરા સહિતના તમામ હોદેદારો તથા એલ. એસ. એફ. ગ્રુપના પરેશભાઇ મારૂ, કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહેલ છે.

વકીલો આ કાર્યક્રમમાં પરિવાર સાથે ચૂંટણીના બદલે ઉત્‍સવ ઉજવતા હોય તે પ્રકારે તમામે મુખ્‍યમંત્રીશ્રીને વધાવવા હાજર રહેવાની ખાત્રી આપેલ છે. કાર્યક્રમ અમૃત સાગર પાર્ટી પ્‍લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ઝેડ બ્‍લ્‍યુ શો રૂમ સામે રાખેલ છે.

 

(4:45 pm IST)