Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રૂ. ૪,ર૦ લાખનો ચેક પાછો ફરતાં અર્જુન પાનના માલીક સામે ફરિયાદ

રાજકોટ તા. ૪: રાજકોટ શહેરમાં સંતકબીર રોડ પર રહેતા જયેશભાઇ માધાભાઇ ભાલારાએ દુધસાગર રોડ પર રહેતા અને તે જ રોડ પર સાગર ચોકમાં અર્જુન પાનના નામે ધંધો કરતા દશરથસિંહ રઘુવીરસિંહ જાડેજાને તેના ધંધાના વિકાસ અર્થે નાણાની અંગત જરૂરીયાત સબબ બે કટકે રકમ રૂ. ર,૦૦,૦૦૦/- તથા રકમ રૂ. ર,ર૦,૦૦૦/- મળી કુલ રકમ રૂ. ૪,ર૦,૦૦૦/- આપેલ, તે રકમ પરત કરવા આરોપીએ ફરીયાદી જોગ ઇસ્યુ કરી આપેલ બન્ને રકમોવાળા ચેકો રીટર્ન થતા અદાલતમાં જુદી જુદી બે ફરીયાદો દાખલ કરતા અદાલતે આરોપી દશરથસિંહ રઘુવીરસિંહ જાડેજા સામે અદાલતમાં હાજર થવા સમન્સો ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં બે અલગ અલગ ફરીયાદો દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધાના વિકાસ અર્થે લીધેલ, તે ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત ચુકવવા તહોમતદારે બે ચેકો આપી, તે પાસ થોવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને બન્ને કેસોમાં અદાલતમાં હાજર થવા સમન્સો ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી જયેશ ભાલારા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, કરણ ડાભી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, ય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(4:40 pm IST)