Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મારામારીના કેસમાં પકડાયેલ માતા-પુત્રીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૪  :  રાજકોટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે મારામારીનો કેસ ચાલી જતા આરોપી કિશન રાજેશભાઇ વ્યાસ તથા રંજનબેન રાજેશભાઇ વ્યાસને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

બનાવની હકીકત એવી છે કે તા.૧૦/૧૦/૨૦૧૬ં ના રોજ આરોપી કિશનભાઇ વ્યાસના મકાનના ઉપરના ભાગે ભાડુઆત તરીકે રહેતા કેયુર રસીકભાઇ મશરૂ સાથે બોલાચાલી અને મારા મારી આરોપીને થતા ફરીયાદી  કેયુરભાઇ રસીકભાઇ મશરૂ તેના પત્ની વિણાબેન એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ આપતા પોલીસે કિશન વ્યાસ તથા રંજનબેન વ્
યાસની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ   

આ બાબતમાં રાજકોટના જજશ્રી ગઢવીની કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ નીશંક પુરાવો આરોપી વિરૂધ્ધ ન આપી શકતા કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આરોપી તરફે એડવોકેટ તરીકે નિલેષભાઇ દવે, બહાદુરસિંહ ઝાલા અને ધર્મિષ્ઠાબા જાડેજા રોકાયેલા હતા.

(3:39 pm IST)