Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

કોર્પોરેશનમાં વર્ગ-૪ ના કર્મચારીઓને બઢતી આપો

પછાત વર્ગ મ્યુ.કર્મચારી મંડળ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા ૪ : મ્યુ. કોર્પોરેશનની ઓડીટ શાખામાં વર્ગ-૪ ના કર્મચારીઓને કલાર્કની બઢતી આપવા  પછાત વર્ગ મ્યુ. કર્મચારીમંડળ દ્વારા મ્યુ. કમિશ્નરને લેખીત પત્ર પાઠવી યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે. આ અંગેપછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળે પાઠવ.ેલ પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ભરતી-બઢતી માટે સરકારશ્રીના નિતી-નિયમો આપો આપ લાગુપડતા હોય છે. રામનપા દ્વારા બઢતી માટે ખાતાકીય પરીક્ષા આપવા માટે પરીપત્ર જારી કરેલ ત્યારે ઓડીટ શાખા અને સેક્રેટરી વિભાગ વર્ગ-૪ ના કર્મચારીઓ અરજી કરી શકે છે. સહિતના પશ્નોેે તાત્કાલીક ઉકેલવા માંગ કરી છે તેની મંડળના પ્રમુખ પી.કે. રાખૈયા ની યાદીમાં જણાવાયું છે

(4:01 pm IST)