Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્કમાં ગણેશજીની સ્થાપના

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે મહાદેવ ધામમાં ગણપતિનું ભાવપૂર્વ સ્થાપન ઘોંઘાટ વગર, સ્વચ્છતા, માર્ગો ઉપર અડચણ નહિ, ફટાકડા, અબીલ, ગુલાલ, કંકુ એકપણ પ્રદુષણ કર્યા વગર કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, કેતનભાઈ મકવાણા, નવીનભાઈ પુરોહિત, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, વી.સી.વ્યાસ, પંકજભાઈ મહેતા, વિજયભાઈ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, શૈલેષભાઈ પુજારા, પંકજભાઈ ખખ્ખર, હસુભાઈ સોની, રાજેશ મોડેસરા, ગોવિંદભાઈ ગોહેલ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડ્યા, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડ્યા, જયોતિબેન પુજારા, યશોધરા મહેતા, ભારતીબેન રાવલ, જયાબેન શાપરીયા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, રેખાબેન વાઢેર, મહિલા મંડળના અનેક બહેનો કામગીરી બજાવી રહ્યા છે.

(4:58 pm IST)