Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વૈશાલીનગરમાં જન્માષ્ટમી ઉત્સવના આયોજક ભરવાડ યુવાન રઘુભાઇ હમીરભાઇ મીર (ઉ.૨૫)નો ગળાફાંસો ખાઇ આપઘાત

રૈયા રોડ આસપાસના તમામ આયોજનોમાં મટકીફોડ કાર્યક્રમો સાદાઇથી નિપટાવાયા

રાજકોટઃ ગઇકાલે જન્માષ્ટમીના દિવસે જ રૈયા રોડ વૈશાલીનગર-૧૦માં રહેતાં અને મહિલા કોલેજ પાસે જન્માષ્ટમી ઉત્સવના આયોજનમાં મુખ્ય આયોજક તરીકે કામ કરતાં રઘુભાઇ હમીરભાઇ મીર (ઉ.વ.૨૫) નામના ભરવાડ યુવાને સવારે ઘરે કોઇ નહોતું ત્યારે પંખામાં સાડી બાંધી લઇ ગળાફાંસો ખાઇ લેતાં કલ્પાંત સર્જા્યો હતો. સવારે ઘરના સભ્યોએ સવા દસેક વાગ્યે રઘુભાઇના રૃમમાં જોતાં તે લટકતો દેખાતા કલ્પાંત સર્જાયો હતો. તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ રાત્રીના સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામના એએસઆઇ પી.એન. પરમાર, મદદનીશ કૃષ્ણસિંહે ત્યાં પહોંચી જરૃરી કાર્યવાહી કરી હતી. બનાવની જાણ વાયુવેગે રૈયા રોડના કૃષ્ણજન્મોત્સવના આયોજકોને થઇ જતાં તમામ આયોજનોમાં મટકીફોડનો કાર્યક્રમ ખુબ સાદાઇથી નિપટાવાયો હતો. પોલીસના કહેવા મુજબ આપઘાત કરનાર પરિણીત હતાં અને સંતાનમાં બે દિકરા છે. આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રખાઇ છે.

(12:20 pm IST)