Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભૂદેવ સેવા સમિતિ દ્વારા રામનાથ મંદિરે ધ્વજારોહણ

પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે બળેવ (પૂનમ) ના દિવસે ભુદેવ સેવા સમિતિ દ્વારા રામનાથ મહાદેવ મંદિરે ધર્મધ્વજા રોહણનો કાર્યક્રમ રાખેલ જેમાં પંચનાથ મંદિરથી રામનાથ મંદિર સુધી પદયાત્રા પાંચ બ્રહ્મ યુવાનો દ્વારા કરવામાં આવેલ.  પંચનાથ મંદિરે ધર્મધ્વજાનું પુજન પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં બ્રહ્મસમાજના અલગ અલગ તળગોડના પ્રમુખો અને સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અને બ્રહ્મ સંસ્થાઓનો પ્રમુખો હાજર રહ્યા હતા. શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદી અને શાસ્ત્રીજી ગોપાલભાઇ જાની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર ધર્મધ્વજાની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પાચ બ્રહ્મ યુવાનો પદયાત્રા સાથે ધ્વજા લઇ રામનાથ મહાદેવના મંદિર સુધી સોસીયલ ડીસ્ટન્સ અને માસ પહેલી શરૂ કરવામાં આવી હતી. રામનાથ મંદિર પર રાજય સભાના સાંસદ શ્રી અભયભાઇ ભારદ્વાજ હસ્તે રામનાથ દાદાની પૂજા વિધી અને ધર્મધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાં ભારદ્વાજનું પૂજારી શ્રી નિશાંતભાઇ ગોસ્વામી પરિવાર દ્વારા કુમકુમ તિલક અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીજીઓ દ્વારા રામનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો. કોરોનાના લોકોના રક્ષણ માટે દેવાધીદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી.  આ ધ્વજા રોહણ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના અગ્રણી અને વોર્ડ નં. ૯ના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, સતર તાલુકાના પ્રમુખ મહેશભાઇ ત્રિવેદી, જગદિશભાઇ ત્રિવેદી, જે.પી. ત્રિવેદી, પૂૂર્વ કોર્પોરેટર અતુલભાઇ પંડીત, શ્રીમાળી બ્રહ્મસમાજના ડો. રાજેશભાઇ ત્રિવેદ  અને અરવિંદભાઇ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીતભાઇ જાની, પૂર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, નથુ તુલશી બ્રહ્મસમાજના શીરીષભાઇ વ્યાસ, ડો. અતુલભાઇ વ્યાસ પ્રમુખ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, ગુજરાતી શ્રીગોળ માળવીયા બ્રહ્મસમાજના શીરીષભાઇ ભટ્ટ, નલિનભાઇ ઔદિચ્ય ખરેડી બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદિપભાઇ દવે, હડીયાણા ચોવીસ બ્રહ્મ સમાજના અગ્રણી ચિરાગભાઇ ઠાકર, શ્રીગોળ બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઇ જોષી, રેલ્વે બ્રહ્મસમાજના પરાગભાઇ મહેતા ગાંધીગ્રામ બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઇ જોષી, રેલ્વે બ્રહ્મસમાજના પરાગભાઇ મહેતા ગાંધીગ્રામ બ્રહ્મસમાજના યુવા અગ્રણી જયોતિન્દ્રભાઇ પંડયા, અને પૂજનભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા હતાં.  ધ્વજારોહણ કાર્યક્રમને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના દિલીપભાઇ જાની અને મયુરભાઇ વોરાના માર્ગ દર્શન હેઠળ વિશાલભાઇ ઉપાધ્યાય, નિરજભાઇ ભટ્ટ, વિમલભાઇ અધ્યારૂ, મનનભાઇ ત્રિવેદી, રૂચીકભાઇ ઉપાધ્યાય, સંદિપભાઇ પંડયા, પ્રશાંતભાઇ પંડયા, મીતભાઇ ભટ્ટ, કિશનભાઇ પંડયા, વિમલભાઇ જોષી, ભરતભાઇ દવે, શીરીષભાઇ વ્યાસ, આકાશભાઇ મહેતા, પ્રિતેષ ત્રિવેદી, માનવભાઇ વ્યાસ, યજ્ઞેશભાઇ ભટ્ટ, હિતેષભાઇ, પાર્થ ભટ્ટ, અર્પણભાઇ જોષી, પ્રશાંતભાઇ વ્યાસ, પ્રણવભાઇ પૃચ્છક, મેહુલભાઇ ભટ્ટ, અક્ષયભાઇ વ્યાસ, વિરાજભાઇ જોષી, સિધ્ધાર્થભાઇ દેસાઇ, અર્જુનભાઇ શુકલ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, પરાગભાઇ મહેતા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

(4:00 pm IST)