Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટમાં કોરોના દર્દીના નામ જાહેર કરવાની માંગ સાથે આજથી કોંગ્રેસ ધરણા ઉપર લટકતી તલવાર

પોલીસ કમિશનરે મંજુરી ન આપીઃ મંજુરી વગર આંદોલન થશે તો અટકાયત -ધરપકડની સંભાવના

રાજકોટઃ અહીં ખાતે વિપક્ષ નેતા વશરામ સાગઠિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખ કાલરિયા, દંડક અતુલ રાજાણી દ્વારા કોરોના દર્દીના નામો જાહેર કરવાની માંગ સાથે આજથી મ્યુ.કોર્પોરેશન કચેરી ચોકમાં ઘરણા શરૂ થનાર હતા. પરંતુ પોલીસ કમિશનરશ્રી એ ધરણાની મંજુરી નથી આપીઃ હવે મંજુરી માટે પોલીસ કમિશનરશ્રીને કોંગી નેતાઓ રજુઆત કરનાર છે તેમ, કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું. 

(9:37 am IST)