Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

જુનાગઢના હત્યાના આરોપીઓને પકડી લેનાર તાલુકા પોલીસ ટીમને બીરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ : જુનાગઢના પુર્વ મેયરના પુત્રની હત્યા કરી ભાગેલા આરોપીઓ પૈકીના ત્રણને રાજકોટ ગોંડલ રોડ પર પરની ફર્નિચર પાછળ આવકાર રેસિડેન્સીમાં છુપાયા હોવાની બાતમી તાલુકા પોલીસ મથકના દુર્ગા શકિતના કર્મચારી કોૈશિકભાઇ ગઢવીને મળતાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર.બી.જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, અરજણભાઇ ઓડેદરા, કૌશીકભાઇ ગઢવી, હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા,મનિષભાઇ સોઢીયા તથા હર્ષરાજસિંહ જાડેજા સહિતે ત્યાં પહોંચી આરોપીઓ ભાગતાં તેનો દોડીને પીછો કરી ફિલ્મી ઢબે પકડી લીધા હતાં. આ કામગીરી બદલ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાએ સમગ્ર તાલુકા પોલીસની ટીમની પ્રસંશા કરી અભિનંદન પાઠવી સન્માન પત્ર અને રોકડ રૂ. ૩૦૦૦ના ઇનામો આપી તમામને બીરદાવ્યા હતાં.

(11:54 am IST)