Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2024

ટિકીટ રદ ન કરાય તો અમે એવુ માનશુ કે રૂપાલાનાં નિવેદનમાં ભાજપનું સમર્થન : તૃપ્‍તિબાનો રોષ

રાજકોટ, તા.૪: ક્ષત્રિય સમાજના મહિલા સંકલન સમિતીના તૃપ્‍તિબાએ જણાવ્‍યુ છે કે જો પરસોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિય સમાજ એવુ માનશે કે રૂપાલાનાં નિવેદનને ભાજપનું પણ સમર્થન છે.

તૃપ્‍તિબાએ વધુમાં કહ્યું કે હવે રામરાજય આવવાની વાત ભાજપ કરે છે પરંતુ હાલની સ્‍થિતીમાં આવુ દેખાતુ નથી.

જો અમારી માંગણી સ્‍વીકારવામાં નહી આવે તો રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે.

(2:58 pm IST)