Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સર્વજ્ઞાતિ પાઠાત્મક લઘુરૂદ્રમાં વેદોકત મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ

રાજકોટ : મહાશિવરાત્રી પર્વ અંતર્ગત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાની, પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલ, મહામંત્રી દિપક પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શ્રીમતી કાંતાબેન બાબુભાઈ ત્રિવેદી પુરસ્કૃત સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્રનો કાર્યક્રમ રાખવામાં આવેલ. લઘુરૂદ્રમાં શાસ્ત્રી શ્રી સચિનભાઈ ઠાકર દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી ધાર્મિક વિધિ કરવામાં આવેલ.

આ ભકિતસભર આયોજનને સફળ બનાવવા દર્શિતભાઈ જાની તથા કશ્યપભાઈ શુકલના નેતૃત્વમાં દિપકભાઈ પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ મહેતા, જર્નાદનભાઈ આચાર્ય, જયંતભાઈ ઠાકર, હરેશભાઈ જોષી, દક્ષિતભાઈ પંડ્યા, યોગેન્દ્રભાઈ લહેરૂ, જયેશભાઈ જાની, નલીનભાઈ જોષી, શૈલેષભાઈ જાની, દિપકભાઈ ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ, પરાગભાઈ ભટ્ટ, પ્રભુભાઈ ત્રિવેદી, જયેશભાઈ ભટ્ટ, પંકજભાઈ ભટ્ટ, બ્રહ્મસમાજની મહિલા સમિતિના પ્રમુખ નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, શોભનાબેન પંડ્યા, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોષી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)