Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અલ્કેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી : ધાર્મિક કાર્યક્રમો ભાંગ વિતરણ

રાજકોટ : અહિંના રૈયા રોડ અલ્કાપુરી ખાતે આવેલ અલ્કેશ્વર યુવક મંડળ દ્વારા અલકેશ્વર મહાદેવજીને શણગાર કરવામાં આવેલ. છેલ્લા ૨૫ વર્ષની અલ્કેશ્વર મહાદેવના મંદિર ખાતે આ મહાશિવરાત્રીના શુભદિને મહાદેવના ભાંગની પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પૂજારી નારણભાઈ ત્રિવેદીના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ.

અલ્કેશ્વર યુવક મંડળના યશભાગી જેમાં સર્વશ્રી ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ રાઠોડ, ઉમેશભાઈ લોઢીયા, મયંકભાઈ ખજુરીયા, છેલાભાઈ સાંગડીયા, હિરાભાઈ સાંગડીયા, નૈમીષભાઈ પરમાર, ચિંતનભાઈ ભગદેવ, હિતેષભાઈ ભાયાણી, સમીરભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ રાજયગુરૂ, યોગેશભાઈ દાબેલીવાળા, રાજભાઈ ગોહેલ, નરેન્દ્રભાઈ ચપલા વગેરે કાયકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:29 pm IST)