Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ન્યારી ડેમનાં કાર્યક્રમમાં ભીડ એકત્રીત કરવા સીટી બસનો ઉપયોગ થતા અનેક તર્ક વિર્તકો

રાજકોટઃ ન્યુ રાજકોટનાં વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-૦૧ ડેમને 'સૌની યોજના' હેઠળ નર્મદા મૈયાનું અવતરણ થયું હતું. દરમિયાન આજે જામનગર ખાતે પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરથી રિમોટ કંટ્રોલ મારફત ન્યારી-૧માં નર્મદા નીરનું ડીજીટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ન્યારી ડેમ ખાતે લાઇવ ટેલીકાસ્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રાજકોટ અને આસપાસનાં ગામો માંથી લોકોને લઇ આવવા અને જવા માટે સીટી બસ, એસ.ટી બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોમાં અનેક તર્ક- વિર્તકો થઇ રહ્યા છે.

(3:25 pm IST)