Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પૂ.ધીરગુરૂદેવના મંગલપાઠે ઉપાસના ભવનનું ઉદ્ઘાટન સંપન્ન

રાજકોટ,તા.૪: શ્રી ઉત્તમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સરદારનગરમાં ૩ મહિનામાં નિર્માણીત ઉત્તમ- સૂર્ય- વિજય ઉપાસના ભવનનું ઉદ્ઘાટન મુખ્ય દાતા શ્રીમતી જેકુંવરબેન ધીરજલાલ મહેતાએ રીમોટથી કર્યા બાદ તાલોદ્ઘાટનનો લાભ નંદલાલભાઈ એમ. કામદારે લીધેલ. તેમજ રૂ.૧૧૦૦૦/-ની નિર્માણ યોજનામાં ભાવિકો જોડાયા હતા.જયારે સરલાબેન હરકીશનભાઈ કામદારે માતબર દાન આપેલ. તેમજ જીવદયા કળશનો ચડાવો મહેતા પરિવારે લીધેલ. ડો.મહેન્દ્ર મહેતા અને ઉમાબેન, નયનાબેન જાટકીયા, અરૂણા, ચંદ્રિકા મહેતા તેમજ હસમુખભાઈ મહેતા અને સુરેશભાઈ કામદાર વગેરેનું સન્માન કરવામાં આવેલ. હરેશભાઈ વોરા, સી.એમ.શેઠ, જે.એમ.પટેલ, ભાવેશ કામદાર, જયંતભાઈ દેસાઈ વગેરેએ હાજરી આપેલ.પૂ.સૂર્ય - વિજય મ.સ.પરિવાર, પૂ.વનિતાબાઈ મ.સ., પૂ.પુષ્પાબાઈ મ.સ., પૂ.જયોતિબાઈ મ.સ.આદિ પધાર્યા હતા.

(3:23 pm IST)