Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામનગર ઉર્ષમાં જઇ રહેલ વ્હોરા ધર્મગુરૂનું રાજકોટમાં સ્વાગત

રાજકોટ : મોટાબાવા સૈયદના ઇસ્માઇલ બદરૂદીન સાહેબ (રી.અ.) ના ઉર્ષ મુબારકની રાતના અવસરે જામનગર આવી રહેલ જનાબ ઇબ્રાહીમભાઇ સાહેબ ઇઝઝુદીનએ રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કરેલ તે દરમિયાન જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઇ સાહેબ, જનાબ શેખ મુસ્તફાભાઇ (ઝકવી મોહલ્લા), શેખ મુરતઝાભાઇ (બદરી મધર) તેમજ રાજકોટ જમાઅત કમીટી, તનઝીમ કમીટીના સભ્યોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ. તેમ શેખ યુસુફઅલી જોહરકાર્ડસવાળાની યાદીમાં જણાવાયુ છે.

(3:15 pm IST)