Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઇન્દોરમાં સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટની નેત્રયજ્ઞ સેવાઓથી પૂ. હરિચરણદાસજી પ્રભાવિત

રાજકોટ, તા. ૪ : સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા તા. ૧પ ડીસેમ્બરથી શરૂ થઇ તા. ૩૧ જાન્યુઆરી સુધી દોઢ માસ ચાલનાર વિનામૂલ્યે ૩૬-૩૭ બે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પની પૂ. હરિચરણદાસજી મહારાજે લઇ પૂ. શ્રી સદ્ગુરૂ દેવ રણછોડદાસજી બાપુની તપો ભૂમિ જેવા ધાર રોડ (ઇન્દોર) ખાતે મુલાકાત લઇ પ્રસંશા વ્યકત કરેલ.

આ મેગા સુપર કેમ્પો માટે દાનાબાપા ડાંગર તથા ઇશ્વરભાઇ ખખ્ખરની ટીમને આશિર્વચન પાઠવ્યા હતાં.

આ મેગા નેત્રયજ્ઞ પ્રોજેકટ માટેના આગોતરા આયોજન માટે દાનાબાપા ડાંગર, ચંદુભાઇ પેઇન્ટરની આગેવાની હેઠળમાં ૩પ સેવાભાવી કાર્યકરોની ટીમ આગોતરી ધાર રોડ (ઇન્દોર) પહોંચી ગઇ હતી એમપી ૧૬ જેટલા જિલ્લાઓમાં સમગ્ર ટીમ ફરી વળી હતી.

તમામ દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન -નેત્રમણી-રહેવા જમવા તથા સાથે આવનાર એક વ્યકિતને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૩૩૦પ જેટલા દર્દીઓને આ લાભ મળ્યો છે.

(4:08 pm IST)