Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એઇમ્સને આવકારતા ડો.જૈમન ઉપાધ્યાય

રાજકોટ તા.૪: રાજકોટ તેમજ સૌરાષ્ટ્રને એઇમ્સ મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇની કેન્દ્ર સરકાર રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલનો પુર્વમેયર ડો.જૈમન ઉપાધ્યાયએ આભાર વ્યકત કર્યો.

આ અંગે પુર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર રાજકોટને એઇમ્સ મળતા સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના લોકોને પણ આનો ફાયદો મળવાનો છે. સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતના દર્દિઓને સુપર સ્પેશ્થિાલિસ્ટના અભિપ્રાય તથા સેવા માટે મુંબઇ સુધિ ધક્કો ખાવો પડતો જેને કારણે સમય અને પૈસાનો વ્યય પણ ખૂબ થતો. દર્દીની નાજૂક પરિસ્થિતમાં કયારેક ધાર્યા પરિણામ પણ ન મળતા તેની બદલે હવે રાજકોટમાં એઇમ્સ આવતા જટિલ સર્જરીઓ અને જટીલ દર્દોનો નિદાન તથા સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થાતા સૌરાષ્ટ્રની  જનતાનું આરોગ્ય પણ સુધરશે.

ડો.જૈમનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલને પત્ર લખી આભાર વ્યકત કરેલ છે.

(3:50 pm IST)