Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રવિવારે સમસ્ત સોજીત્રા પરિવારનું સ્નેહમીલન

રકતદાન કેમ્પ, સન્માન, રાસગરબા, હાસ્ય રસનો કાર્યક્રમ

રાજકોટઃ તા.૪, શ્રી સમસ્ત સોજીત્રા પરિવાર રાજકોટનું રાજકોટમાં રહેતા પરિવારજનો માટે તા.૬ને રવિવારના રોજ સત્યમ પાર્ટી પ્લોટ નાના મવા  રોડ ખાતે સ્નેહમીલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહમીલનમાં બપોરે ૨ વાગ્યાથી પરિવારજનોનો રકતદાન કેમ્પ રાખવામાં આવેલ છે.

 સાંજે પાંચ વાગ્યે શરૂ થનાર સ્નેહમીલનમાં મુખ્ય અતિથિ વિશેષ પદે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. પરિવારના ગત પરિક્ષામાં સારો દેખાવ કરનાર ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. સાંજના સમયે સમસ્ત પરિવાર માટે સ્નેહ ભોજન, રાસગરબા અને હાસ્ય કલાકાર સંજય સોજીત્રાનો હાસ્ય દરબાર તેમજ પરિવારની દીકરીઓના પ્રેરક પ્રવચનો રાખવામાં આવેલ છે. સમસ્ત સોજીત્રા પરિવારને આમંત્રણ અપાયું છે. વધુ વિગતો માટે મો. ૯૯૦૪૨૨૭૪૨૮/ ૯૪૨૭૭૭૮૫૫૧ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં ભુપતભાઇ સોજીત્રા, મુકેશભાઇ સોજીત્રા, મનિષભાઇ સોજીત્રા, દશરથભાઇ સોજીત્રા  પ્રવિણભાઇ સોજીત્રા, ભાવેશભાઇ સોજીત્રા તથા સાગરભાઇ સોજીત્રા નજરે પડે છે. સંદિપ બગથરીયા

(3:29 pm IST)