Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રાધેશ્યામ ગૌશાળા ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ

રાજકોટ,તા. ૩ : તુલસી વિવાહનો કાર્યક્રમ તા. ૫ના શનિવારે દેવદિવાળી નિમિતે રાધેશ્યામ ગૌશાળા, પાણીના ટાંકા પાસે, રૈયાધાર, રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે. હિતેશભાઇ પરજીયા, પ્રજાપતિ ગૌતમ નગર-૧, ખાતે જાન જાશે. રાધેશ્યામ ગૌશાળામાં મહાપ્રસાદ સાંજે ૭ વાગ્યે રાખેલ છે. પ્રવિણદાદાના હસ્તે તુલસી માતાની વિધી કરવામાં આવશે. કાર્યકરો પરેશ યોગેશભાઇ શાહ, કૌશિકભાઇ યોગેશભાઇ શાહ, બાબુલાલ, યોગેશભાઇ શાહ, જેઠાભાઇ  લાડવા, યતીનભાઇ જોબનપુત્રા, તેરૈયાભાઇ સેવા આપશે. ભાવિકોને લાભ લેવા રાધેશ્યામ બાપુ દ્વારા જણાવાયું છે.

(3:04 pm IST)