Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

શહેરીજનોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જયમીન ઠાકર

રાજકોટ તા. ૩ : પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, દરેક તહેવાર કોઇ અનોખો સંદેશ લઇને આવે છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વ્યવહારો જ માણસને જીવંત રાખવાનું કામ કરે છે. એમાય દિવાળીના તહેવારો શુધ્ધિ, નવીનતા, પ્રેમ, આત્મીયતા કેળવવાનો અવસર ગણાય ત્યારે નૂતન વર્ષમાં રાજકોટમાં લોકહિતના કાર્યો અવિરત ચાલુ રહે તથા શહેરના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સદા આરોગ્યમય રહે તેવી શુભેચ્છા જયમીન ઠાકર દ્વારા તમામ નાગરિકોને પાઠવવામાં આવેલ છે.

(2:58 pm IST)