Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિવાળી નિમિત્તે અનાજ વિતરણ

રાજકોટઃ દીપાવલીના પર્વ નિમિત્તે રોઝરી સ્કૂલ, રાજકોટ અને માનવ કલ્યાણ ટ્રસ્ટ (બેંક ઓફ ઈન્ડિયા રિટાયર્ડ એમ્પ્લોયીઝ એસોસીએશન દ્વારા સંચાલિત) દ્વારા લગભગ ૩૪૦ પરિવારોને બેસન, ગોળ પ્રત્યેક ૧ કિલો, ખાંડ ૨ કિલો, તેલ ૧લિ., મેંદો અને પૌંઆ પ્રત્યેક ૫૦૦ ગ્રામ અને કપડાનું વિતરણ કરવામાં કરવામાં આવેલ. આ અવસરે મનોજ કુમાર, ઝોનલ મેનેજર બેંક ઓફ ઈન્ડિયા, એ.કે. મિશ્ર, સીનીયર મેનેજર બેંક ઓફ ઈન્ડિયા, ઉદયભાઈ બુદ્ધદેવ, પ્રવીણભાઈ પટેલ, દુષ્યંતભાઈ નાગોદ્રા હાજર રહ્યા. રોઝરી સ્કૂલના સંચાલક સીનીયર વારિયા સર તથા ડો.વિશાલભાઈ વારિયા અને પ્રતીકભાઈ સંચાણીયા, રિધ્ધિબેન પટેલ તથા અર્જુનસિંહ જાડેજા ઉપસ્થિત હતાં.(૩૦.૩)

(3:28 pm IST)