Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જય ખોડિયાલ ગરબી મંડળની બાળાઓને કોપોરેટર જયાબેન હરીભાઇ ડાંગર દ્વારા સોનાની લાણીની ભેટ

 રાજકોટ :શહેરના વોર્ડ નં.૧૩માં જય ખોડીયાલ ગરબી મંડળ, નવલનગર-૩ ખોડીયાર મંદિર યુવા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે. બાળાઓને આ વર્ષે લાણી વિતરણ સોના ચાંદીના સાંકળા, ટીફીન સહિતની ૭ આઇટમ આપવામાં આવે છે. દીકરીઓને કાયમી ઘર વખરીમાં ઉપયોગ આવે તેવી લાણી આપવામાં આવે છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો માતાજીના આશીર્વાદ મેળવે છે. જય ખોડીયાલ ગરબી મંડળની બાળાઓને કોર્પોરેટર શ્રી જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગર તેમજ આયોજક કમિટી હરેશભાઈ ઠાકર, સરોજબેન ઠાકર, ભારતીબેન ટાંક, પુજાબેન પરમાર, વનીતાબેન ગૌસ્વામી, પૂનમબેન લાંબરીયા, સુરેખાબેન પઢીયાર, જન્વીબેન પ્રજાપતિ, આરતીબેન, પ્રફુલ્લભાઈ લાઠીયા, તુષારભાઈ ગૌસ્વામી તેમજ જય ખોડીયાલ ગરબી મંડળની બાળાઓ તથા કમિટીના મેમ્બરો તેમજ બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૮)

(9:55 am IST)