Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કનૈયાનંદ રાસોત્સવઃ એડીશ્નલ કલેકટર પી.બી.પંડયા સહિતના મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટઃ અહિંના ટાગોર રોડ ઉપર નાગર બોર્ડિંગના મેદાનમાં સરગમ કલબ અને સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા આયોજિત કનૈયાનંદ રાસોત્સવ બાળ ખેલૈયાઓ માટે નું શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. દરરોજ વિજેતા બાળકોને આકર્ષક ઇનામો આપવામાં આવે છે. ગઈકાલે  બાળ ખેલૈયાઓને નિહાળવા માટે એડીશ્નલ કલેકટર શ્રીપી.બી.પંડયા, મનહરભાઈ મજેઠીયા,  અપૂર્વભાઈ મણીયાર, શિવલાલભાઈ રામાણી, જયશ્રીબેન રાવલ, મનસુખભાઈ ધંધુકિયા,અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી વગેરે ઉપસ્થિત રહેલ.

આજે કનૈયાનંદ રાસોત્સવને માણવા માટે શિવલાલભાઈ બારસીયા, જતીનભાઈ ભરાડ, ડો. રાજેશ પટેલ, ડો.રેખાબેન ગોસલીયા, ભુપત સિંહ જાડેજા, પ્રમોદભાઈ ભમર, ધર્મેશભાઈ શાહ, દીપકભાઈઘેડીયા, ગુણવંતભાઈ ભટ્ટ અને નયનભાઈ દવે વગેરે ઉપસ્થિત રહેશે. આ રાસને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, દીપકભાઈ શાહ, કનૈયાલાલ ગજેરા,નીતિનભાઈ ગોંડલિયા,વલ્લભભાઈ ગોંડલીયા, ઘનશ્યામભાઈ પરસાણા, વિપુલાબેન હિરાણી, જસુમતીબેન વસાણી તેમજ બન્ને કલબ ના કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:38 pm IST)