Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગાંધી જયંતીએ પૂ. બાપુને પુર્વ મેયર જૈમનભાઇએ શ્રધ્ધાંજલી આપી ભગો કર્યોઃ કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતનો આક્ષેપઃ સોશ્યલ મીડીયામાં ફોટા વાયરલ કર્યા

રાજકોટઃ ગઇકાલે રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે કોર્પોરેશન દ્વારા પૂ. બાપુની પ્રતિમા પાસે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેના ફોટા પુર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે સોશ્યલ મીડીયામાં મુકી અને તેના ઉપર 'મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી' એવુ હેડીંગ આપતા આ બાબતને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે પુર્વ મેયરનો ભગો ગણાવ્યો હતો. કેમ કે જન્મ જયંતીએ શ્રધ્ધાંજલી આપવાની ન હોય તેટલું પણ પુર્વ મેયર જાણતા નથી તેવું મેયરના આ હેડીંગથી સાબીત થયાનો આક્ષેપ કરી શહેર કોંગ્રેસ પ્રમુખે સોશ્યલ મીડીયામાં ડો. જૈમનભાઇના પૂ. બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા ફોટા અને શ્રધ્ધાંજલી અંગેનું લખાણ વાયરલ કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (૪.૧૫)

(3:53 pm IST)