જૈનધર્મમાં પયુષણ શ્રાવણ વદ ૧૧ થી ભાદરવાદસુદ ૪ સુધી માનવામાં આવે છે. અને ભાદરવા સુદ ૪ને સંવત્સરી તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસ બાદ બીજે દિવસે કે ભારદવા સુદ ૫ના રોજ તપસ્વીઓ પોતે કરેલા ઉપવાસ અઠાઇ વગેરેનું પારણું કરતા હોય છે. આ સમયમાં (પયુર્ષણ દરમ્યાન) કરેલા ઉપવાસનું આર્યુવેદમાં સ્વાસ્થયની ર્દષ્ટિએ ખુબ જ મહત્વ છે કારણ કે પયુષણ (શ્રાવણના છેલ્લા ચાર દિવસ તથા ભાદવાના પહેલા ચાર દિવ)માં આવે છે.
આ સમયને આયુર્વેદની ર્દષ્ટિએ જોઇએતો ભારત વર્ષમાં ગુજરાતી માસની છ ઋતુઓ છે જેમકે,
શિશિર = મહા + ફાગણ
ગ્રીષ્મ = જેઠ + અષાઢ
શરદ = આસો + કારતક
વસંત = ચૈત્ર + વૈશાખ
વર્ષા = શ્રાવણ + ભાદરવો
હેમંત = માગશર + પોષ
આ ઉપરોકત પયુર્ષણનો સમય વર્ષઋતુમાં આવે છે. અને આયુર્વેદમાં (આદાન એટલે કે બળ લઇ લેવુ) આદાન કાળ તથા વિસર્ગકાળ (વિગર્સ એટલે બળ આપવું) બતાવેલા છે. તે પ્રમાણે વસંત અને ગ્રીષ્મમાં ઉતરાયણનો સૂર્ય થતા તે માણસનુંબળ લઇ લે છે. અને વર્ષા બાદ શરદ હેમંતમાં દક્ષિણ આયનો સૂર્ય થતા તે માણસને બળ આપનાર બને છે.
આમ ગ્રીષ્મ ઋતુમાં માણસોનો જઠરાગ્ની મંદ પડેલ હોય છે. તેથી આયુર્વેદમાં જઠારાગ્ની તેજ કરવા માટે વર્ષઋતુમાં શોધન તથા લધુ પાચન આહારોએ લઇને કરવાનો ઉલ્લેખ છે. આમ 'પયુર્ષણ પર્વ'
શ્રાવણ વદ ૧૧ થી લઇ ભાદવા સુદ-૪
દરમ્યાન લોકો ઉપવાસના રૂપમાં તપ કરે છે. જેને આયુર્વેદમાં બતાવેલા 'લંઘન' તરીકે લઇ શકાય અને કહ્યું કે 'લંઘન પરમૌષધમન' લઘેનએ શ્રેષ્ઠ ઔષધ છે.
આ ઉપવાસ કરવાથી મંદ થયેલો જઠારાગ્ની ફરી ઠીક થઇને લોકોની પાચનાદીક્રીયાઓ બરાબર થતા લોકો સ્વસ્થતાને પામે છે અને બીમાર પડતા નથી.
હવે આયુવેદમાં ઉપવાસાદી શોધનો વિવિધ બતાવેલા છે. ત્યારબાદ સામાન્ય આહાર પર આવવા માટેનો એક ચોક્કસ ક્રમ બતાવેલો છે. જેને 'સંસજન કર્મ' તરીકે ઓળખવામાં આવે છે. અને આયુર્વેદની દષ્ટિએ આન ખુબજ મહત્વ છે. કારણકે જેવી રીતે થોડા પ્રજવલિત અગ્નિ પર મોટા લાકડા નાખવાથી અગ્ની બુજાય જાય છે. અને જો થોડા પ્રજવલીત અગ્નિ ઉપર નાના નાના છાણા તથા સુકુ ઘાસ નાખી પછી અગ્નિ મોટા મોટા તોતીંગ લાકડાને પણ બાળી નાખે છે.
આથી જ તો જે લોકોએ આ પયુષણ પર્વમાં તપ કર્યુ છે તેમણે ખાસ કરીને
- પ્રથમ દિવે તથા બીજા દિવસે : સૂઠ ગોળનું પાણી, મગનું પાણી ઉકાળેલુ પાણી લેવુ જોઇએ, ફળોનો રસ
- ત્રીજા તથા ચોથા દિવસે : એકદમ પાકેલા, રાબ જેવા ખીચડી/દાળભાત વગેરેને જેરીને ગાળીને લેવા જોઇએ, ફળો કાપીને ખાઇ શકાય તથા શાકભાજીનો સુપ લઇ શકાય.
- પાંચમા તથા છઠ્ઠા દિવસે - મગભાત, દાળભાત, બફેલા લીલા શાકભાજી, ખીચડી જેવા સામાન્ય રીતે પકવેલા આહારને લઘુ પાચા ખોરાક તથા ફળો લઇ શકાય.
- સાતમા દિવસે સવારે લઘુ પાચક આહારો લઇ અને સાતમાં દિવસ પછી સાંજથી સામાન્ય આહાર પર આવવું જોઇએ.
આમ કરવાથી સ્વસ્થ તથા દીર્ધાયુષી જીવન જીવી શકાય છે. અને પુષ્કળ પ્રમાણમાં રોગ પ્રતિકારક શકિત પણ વધે છે. તેજ જીવન ચોક્કસ નિરોગી બને છે. પરંતુ આ રીતે ન કરવાથી અને તપ પુરૂ થતા જ તરત જ સામાન્ય આહાર પર આવવાથી જઠારાગ્ની મંદ પડી જાય છે. તથા શરીરની પાંચનાદીક્રિયાઓ મંદ થતા ભયંકર રોગનો સામનો કરવો પડે છે.
આમ, આયુવેદ સાથે આ પયુષણ પર્વનો સમય, સ્વાસ્થયની ર્દષ્ટિએ ખુબ જ મળતો આવે છે અને એટલે એવું ચોક્કસ કહી શકાય કે જૈન શાસ્ત્રમાં બતાવેલ પયુષણ પર્વનું ધાર્મિક ર્દષ્ટિએ જેટલું મહત્વ છે. તેટલુ જ લોકોના સ્વાસ્થ્ય માટે પણ એટલુ જ મહત્વનું છે.
ડો.જયેશ એમ.પરમાર
પંચકર્મ ફીઝીશ્યન,
સરકારી આયુર્વેદ હોસ્પીટલ-રાજકોટ