Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પૂ. મોરારીબાપુને અયોધ્યા માટે આમંત્રણનો બોગસ મેસેજ-પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ : અયોધ્યામાં શ્રીરામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂ. મોરારીબાપુને આમંત્રણ આપવામાં ન આવતા ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. ત્યારે આજે સોશ્યલ મીડિયામાં પૂ. મોરારીબાપુને આ શિલાન્યાસ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું હોવાનો બોગસ મેસેજ લેટર સાથે વાયરલ થયો છે.  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચમ્પત રાયના નામથી આ પત્ર વાયરલ થયો છે. જોકે આ પત્રને પૂ. મોરારીબાપુના નજીકના સુત્રોએ બોગસ ગણાવ્યો છે.

(3:42 pm IST)