Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જાણીતા વેપારી પોપ્યુલર જવેલર્સવાળા વજુભાઇ આડેસરાના ધર્મપત્નીનું કોરોનાથી અવસાન

પેેલેસ રોડ, અક્ષર માર્ગ સહિત સ્થળોએ શોરૂમ : મધુબેને અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ

રાજકોટ, તા. ૩ :  શહેરના પોપ્યુલર જવેલર્સવાળા વજુભાઇ આડેસરાના ધર્મપત્ની મધુબેન (ઉ.વ.૬૮) નું કોરોનાના કારણે મૃત્યુ નિપજતા સમગ્ર સોની બજારમાં શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોનીબજારમાં મોટુ નામ ધરાવતા અને જાણીતા ઝવેરી એવા પોપ્યુલર જવેલર્સવાળા વજુભાઇ આડેસરા તથા તેમના પત્ની મધુબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં વજુભાઇનું સ્વાસ્થ્ય સ્થિર છે. પરંતુ મધુબેન અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

આડેસરા પરિવાર મુળ ધ્રોલનો છે અને છેલ્લા ૬૦ વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયો છે. પરિવારમાં પુત્ર-પુત્રવધુઓ તેમજ પૌત્રો છે. વજુભાઇ પેલેસે રોડ, અક્ષર માર્ગ સહિત ત્રણ-ચાર સ્થળોએ શો-રૂમ પણ ધરાવે છે. સૂત્રોના જણાવ્યાઅનુસાર મધુબેન ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીથી પણ ગ્રસિત હતાં.

સપ્તાહના સમયગાળા બાદ ગત શનિવારે બજાર ખુલ્લી ત્યાં જાણીતા જવેલર્સનો પરિવાર કોરોની મહામારીમાં સપડાતા તેમજ એક વ્યકિતનું મૃત્યુ નિપજતા તેમજ ચાંદીના અન્ય વેપારીઓ પણ કોરોનામાં સપડાતા બજારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(2:47 pm IST)