Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા પરીવાર પરીચય મિલન

રાજકોટ : દશનામ ગોસ્વામી સમાજના ક્રિએટીવ ગ્રુપ દ્વારા 'કહીં ન કહી કોઇ હૈ'   શીર્ષકતળે પરીવાર પરીચય મિલનનું આયોજન કરાયુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ સાથે અમદાવાદના બે આગેવાનો ચીમનપુરીજી તથા હરેશભારથીજીને દશનામ શિરોમણી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ ૧૦ એવોર્ડ મેળવનાર પ્રેમજી રાઇઝ ઓફ એ વોરીયરના પ્રતિભાશાળી લેખક દિગ્દર્શક વિજયગીરીબાવાને દશનામ પ્રતિભા સન્માનથી સન્માનીત કરાયા હતા. કેળવણીકાર કૈલાસવાસી ડો. રમાબેન પી. પુરીને વિરલ વિભુતિ તરીકે સન્માનીત કરાયા હતા. માતૃભુમિની રક્ષા માટે આતંકવાદીઓ સામે બાથભીડનાર અમર શહીદ અશોકચક્ર વિજેતા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત મોહનનાથ ગોસ્વામીને દશનામ વિરલ વિભુતિ સન્માન તેમના પત્ની ભાવનાબેન ગોસ્વામી તથા સુપુત્રી ભુમિકા ગોસ્વામીને એનાયત કરાયેલ. સમગ્ર કાર્યક્રમ ક્રીએટીવ ગ્રુપના ફાઉન્ડર પ્રેસીડેન્ટ નિલેશપુરી એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રેસીડેન્ટ ગીરીશપુરી, મહેશપુરી, અમુલગીરી, રાજનગીરી, દેવાંગગીરી, સાગરગીરી, કલ્પેશગીરી તેમજ લેડીઝ કલબના કન્વીનર કલ્પનાબેન, પ્રમુખ શીલ્પાબેન, તેજલબેન, શ્રધ્ધાબેન, સરોજબેન, ગીતાબેન, પલ્લવીબેન, ઉર્વશીબેન, પુજાબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, પ્રિતીબેન, સપનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)