Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સુતા હનુમાન મંદિર પાસે ફૂટપાથ પરથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

આધારકાર્ડમાં પડિંત નારાયણ જસુભાઇ લેખેલુ છેઃ વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ પર આવેલા સુતા હનુમાન મંદિર પાસે ફૂટપાથ પરથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી છે. મૃતક પાસેથી એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં પંડિત નારાયણ જસુભાઇ (ઉ.૬૦-રહે. સિંદુરીયા ખાણ પાસે) એવું લખેલુ છે. આ એડ્રેસ પર સંપર્ક કરતાં આવા કોઇ વ્યકિત વિશે માહિતી મળી નથી. મૃતક વૃધ્ધ આધાર કાર્ડમાં નામ લખ્યું એ જ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. બિમારી કે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું તારણ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો ભકિતનગર પોલીસનો ફોન ૦૨૯૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ સુભાષભાઇ ડાંગર વધુ તપાસ કરે છે.

(3:14 pm IST)