Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

હમ આહ ભરતે હૈ તો બદનામ હો જાતે હૈ, વોહ કત્લ કરતે હૈ તો ચર્ચા ભી નહિ હોતી

શેર-શાયરી સાથે પીરઝાદાએ ભાજપને ઝાટકયો

રાજકોટઃ. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ તે પૂર્વ યોજાયેલ કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલનમાં વાંકાનેરના પીઢ કોંગી અગ્રણી અને ધારાસભ્ય જાવેદબાવા પીરઝાદાએ તેઓના આગવા અંદાજમાં શેર-શાયરી સાથે પ્રવચન આપી ભાજપની વર્તમાન તાનાશાહ નીતિ અંગે ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવેલ કે, કોંગ્રેસના ધારાસભ્ય સાપરિયા જ્યાં સુધી કોંગ્રેસમા હતા ત્યાં સુધી ભ્રષ્ટાચારી હતા અને ભાજપમાં પ્રવેશ્યા બાદ તેઓ પાપમાંથી મુકત થઈ ગયા. ભાજપમાં એવી કઈ ગંગા છે કે જેમા પ્રવેશ બાદ તેઓને આરોપોમાંથી મુકિત મળી જાય છે. તેઓએ શાયરીમાં ભાજપ સરકાર સામે કટાક્ષ કરતા જણાવેલ કે, હમ આહ ભી ભરતે હૈ તો બદનામ હો જાતે હૈ ઔર વોહ કત્લ ભી કરતે હૈ તો ચર્ચા ભી નહિ હોતી...અંતમાં તેઓએ લોકોને જાગૃત થવા અપીલ કરી અને ભાજપની સરકારને જાકારો આપવા બાબતે પણ શાયરી રજૂ કરતા જણાવેલ કે 'ન સમજોગે તો મીટ જાઓગે યે હિન્દુસ્તાવાલો તુમ્હારી દાસ્તા રહજાયેગી દાસ્તાઓમેં..'

 

(3:45 pm IST)