Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વિરાણી અઘાટમાંથી બેભાન મળેલા મંગલભાઇ મરાઠીનું મોત

વાલીવારસ હોય તો ભક્‍તિનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩: ઢેબર રોડ વિરાણી અઘાટ શેરી નં. ૬માંથી મંગલભાઇ લીંબાભાઇ મરાઠી (ઉ.વ.૩૨) તા. ૩૦/૧ના રોજ સવારે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ. પરંતુ બપોરે તેનું મોત નિપજ્‍યું હતું. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો ભક્‍તિનગર પોલીસનો ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ તપાસ હેડકોન્‍સ. નિલેષભાઇ ચાવડા કરે છે.

(3:15 pm IST)