Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

આજે વિશ્વકર્મા જયંતિ : સૃષ્‍ટિના સર્જનહારને વંદન : દર્શનાર્થીઓ ઉમટયા

રાજકોટ : આજે વિશ્વકર્મા જયંતિ છે. સૃષ્‍ટિના સર્જનહારને ભાવ વંદના કરવા રાજકોટમાં ખડપીઠ ખાતેના મંદિરે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓએ કતારો લગાવી હતી. કડીયા, કુંભાર, લુહાર, સુથાર, દરજી, સોની એમ કલાકારીગર વર્ગના ઇષ્‍ટદેવ શ્રી વિશ્વકર્મા મહાપ્રભુજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આખો દિવસ ધર્મમય કાર્યક્રમોના આયોજનો થયા છે. ઘરે ઘરે તેમજ ધંધાના સ્‍થળોએ પણ કલાકારીગર વર્ગ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તસ્‍વીરમાં રાજકોટના ખડપીઠ ખાતેના શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિર ખાતે કરાયેલ અનેરા શણગાર તેમજ દર્શનાર્થીઓની ભીડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:48 pm IST)