Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

અમોને જમીન કે કવાર્ટર ફાળવો : લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી ધારકોની રજૂઆત

રાજકોટ : લક્ષ્મીનગર નાલા પાસે તંત્ર દ્વારા અન્ડરબ્રીજ બનવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે લક્ષ્મીનગર નાલાની બાજુમાં આવેલ વર્ષો જૂની ઝુંપડપટ્ટીને દૂર કરવા રેલ વિભાગ દ્વારા ઝુંપડાવાસીઓને નોટીસો આપવામાં આવી છે ત્યારે આ ઝૂંપડાધારકો દ્વારા જમીન કે કવાર્ટર ફાળવવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરે અકિલા કાર્યાલય ખાતે આવેલ ઝૂંપડાધારકોએ જણાવ્યુ હતું કે, અમો આ વિસ્તારમાં ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છીએ જેથી અમારી લાગણીને માન આપી અહિં અન્ડરબ્રીજ બનાવવાની પ્રક્રિયા ભલે થાય પરંતુ અમોને અન્યત્ર જગ્યા ફાળવવા પોતાની લાગણી વ્યકત કરી હતી. તસ્વીરમાં લક્ષ્મીનગરના ઝૂંપડાધારકો રાજુભાઈ મીર, જનકભાઈ, કનુભાઈ, રમણીકભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ તથા જાનકીબેન સહિતના દર્શાય છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:00 pm IST)