Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ભગવાન પતિત પાવનની જન્મજયંતિએ ભંડારો- નામજાપ- નેત્રયજ્ઞ

રાજકોટઃ પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા પ.પૂ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં ગુરૂદેવ શ્રી પતિત પાવન ભગવાનશ્રીની જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. ષોડષોપચાર પુજન સુરતના શ્રી વિઠલભાઇ ભાદાણી તેમના ધર્મપત્નિ દયાબેન વિઠલભાઇ ભાદાણી દ્વારા કરવામાં આવેલ.

સંત ભગવાનના ભંડારમાં સંત મહંતોએ લાભ લીધો હતો. તેઓએ દક્ષિણા તથા ચાદર પ્રસાદીરૂપે આપવામાં આવેલ હતા, દાતા ભાવેશભાઇ ડાંગર, રમેશભાઇ ડાંગરના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયેલ. દુધની પ્રસાદી રૂપી આખો દિવસ વિતરણ કરવામાં આવેલ. સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી દ્વારા શ્રી પતિત પાવન ભગવાનશ્રીનાં જીવન કવન વિશે માહિતગાર કર્યા હતા. દાતાઓનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે વલ્લભભાઇ વસાણી, ભરતભાઇ વસાણી, સુરેશભાઇ વસાણી, ઇન્દુબેન રાજદેવ, પ્રફુલ્લાબેન વસાણી, કોકિલાબેન રાજદેવ, ઇલાબેન વસાણી, અરવિંદભાઇ ચોટાઇ, નારણભાઇ પટેલ, બેચરભાઇ પરમાર વિ. ભાવિકોએ લાભ લીધો હતો.

(3:47 pm IST)